Advertisement
Author: નોબત સમાચાર

ધરણા-વિરોધ પ્રદર્શન સામે પ્રતિબંધનો વિપક્ષ દ્વારા વિરોધ

જામનગર મહાનગર પાલિકા કચેરીમાં

જામનગર તા.૧પઃ જામનગર મહાનગરપાલિકા કચેરીમાં ઉપવાસ, આંદોલન, ધરણા વગેરે ઉપર પ્રતિબંધ લાદતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે લોકશાહીના પુન ખુનસમાન છે.

જામનગર મહાનગર-પાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદાએ એક અખબારી યાદી મારફત જણાવ્યુ છે કે આ જાહેરનામું મહાનગરપાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત બહાર પાડવામાં આવ્યું છે અને તે લોકશાહીના ખુન સમાન છે. ભારતીય બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિને પોતાનો અવાજ રજુ કરવાનો અધિકાર છે.

તાજેતરમાં મોહનનગરની પાણી ભરાવવાની સમસ્યા અંગે લોકોએ મહાનગર પાલિકાના કચેરીમાં આદોલન ધરણા કર્યા હતાં.

પરિણામે ધારાસભ્ય સાંસદ, મહાપાલિકાના કોર્પોરેટરોએ દોડવું પડ્યું હતું અને તાત્કાલિક કામગીરી કરવાની ફરજ પડી હતી. લોકોને પોતાના પ્રશ્નને વાચા આપવા માટે ધરણાં, આંદોલન કરવાનો હક્ક અને અધિકાર છે. કારણ કે લોકો વેરો ભરપાઈ કરે છે અને પ્રાથમિક સુવિધા ન મળે તો મહાનગરપાલિકામાં વિરોધ કરવા ન જાય તો કયાં જાય ? વિપક્ષ દ્વારા મનપા કચેરીમાં જ વિરોધ ધરણાં કરવામાં આવે છે તેનો અવાજ દબાવવાનો આ પ્રયાસ છે. આ સમગ્ર ઘટના પાછળ સતાધારી ભાજપ જવાબદાર છે. ભાજપ જ પ્રજાનો અવાજ દબાવવા માંગે છે. ભાજપના કહેવાથી આવુ જાહેરનામું ગેરકાયદેસર અને ગેર બંધારણીય છે. આ જાહેરનામુ તાકીદે પાછું ખેંચવું જોઈએ આ મુદ્દે જરૃર પડ્યે કોર્ટમાં દાદ માંગવામાં આવશે તેમ પણ વિપક્ષના નેતા ધવલ નંદાએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh