Advertisement
Author: નોબત સમાચાર

લોહાણા જ્ઞાતિના કાર્ડધારકોને રાશન કીટનું સોમવારે થશે વિતરણ

જામનગર તા. ૧૫ઃ જામનગર લોહાણા મહાજન દ્વારા જામનગરમાં વસવાટ કરતા લોહાણા જ્ઞાતિના ૨૫૦ થી વધુ દરીદ્રનારાયણ કાર્ડધારકોને જીવનજરૃરી અનાજ-કરીયાણા સહિતની પેકેજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે.

લોહાણા  મહાજન વાડીની ધામેચા વીંગના મુખ્યદાતા સ્વ. ખોડીદાસભાઈ રતનસી ધામેચા પરિવારના લંડનથી આવેલા પ્રદીપભાઈ ધામેચાના હસ્તે સતત સાતમી વખત તેમની દોહિત્રી ઈશાબેન જયેશકુમાર ઠક્કરની સ્મૃતિમાં આગામી તા. ૧૭ને સોમવારે સવારે ૧૦ઃ૩૦ થી ૧૨ઃ૩૦ સુધી કીટ વિતરણ કરવામાં આવશે. લોહાણા મહાજનવાડી, પંચેશ્વર ટાવર પાસે આયોજીત આ કીટ વિતરણ કાર્યક્રમમાં સમયસર કાર્ડ ધારકોને ઉપસ્થિત રહેવા લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ અને માનદ્મંત્રી રમેશભાઈ દત્તાણીએ અનુરોધ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh