Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયાની યુવતીએ ઓઢી લીધી અગનપછેડીઃ
જામનગર તા.૧૫ ઃ જામનગરના ખીજડિયા બાયપાસ પાસે આવેલી એક હોટલમાં વેઈટરનું કામ કરતા નેપાળી યુવાને ગયા સોમવારે અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધા પછી તેનું મૃત્યુ થયું છે. જ્યારે સલાયાના એક યુવતીએ કોઈ કારણથી અગનપછેડી ઓઢી જિંદગીની આહુતી આપી છે. પોલીસે બંને બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા ખીજડિયા બાયપાસ નજીકની જય માતાજી હોટલમાં વેઈટર તરીકે કામ કરતા મૂળ નેપાળના ઝાઝરકોટ જિલ્લાના મજકોટ ગામના વતની નબીનભાઈ હરીભાઈ પરીયાર (ઉ.વ.૨૦) ત્યાં કામ કરવા ઉપરાંત વસવાટ કરતા હતા.
આ યુવાને ગઈ તા.૧૦ની સાંજે બાથરૃમમાં જઈ ગળાફાંસો ખાઈ લીધો હતો. સારવારમાં ખસેડવામાં આવેલા આ યુવાનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેના મોટાભાઈ નરેન્દ્ર હરીભાઈ પરીયારે પોલીસને જાણ કરી છે.
આ યુવાન પોતાની બીમારીથી કંટાળી ગયા હોવાનું અને તેના કારણે ગળાફાંસો ખાઈ લીધાનું નરેન્દ્ર પરીયારે પોલીસ સમક્ષના નિવેદનમાં જણાવ્યું છે. પોલીસે નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
ખંભાળિયા તાલુકાના સલાયા ગામના સાયરાબેન જુનસભાઈ સંઘાર નામના ચોવીસ વર્ષના વાઘેર યુવતીએ ગુરૃવારની રાત્રે ત્રણ વાગ્યાથી સવારના છ વાગ્યા દરમિયાન પોતાના ઘરમાં કોઈ અકળ કારણથી અગનપછેડી ઓઢી લીધી હતી. અત્યંત ગંભીર રીતે દાઝી ગયેલા આ યુવતીનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે. તેણીના ભાઈ શબ્બીર સંઘારે પોલીસને જાણ કરી છે. પોલીસે આત્મહત્યાનંુ કારણ જાણવા તપાસ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial