Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુદ્દત પૂરી થતાં નવા રચાયેલા
જામનગર તા. ૧પઃ ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વાઈલ્ડ લાઈફ બોર્ડની રચના કરવામાં આવી છે. જુના બોર્ડની મર્યાદાના ૧પ મહિના પછી થયેલ નવી રચનામાં જામનગરના પર્યાવરણ ક્ષેત્રના બે વ્યક્તિઓની નિમણૂક થતાં જામનગરના પર્યાવરણ પ્રેમીઓમાં ખુશીની લહેર છે.
૪૮ વર્ષથી પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત સુરેશભાઈ ભટ્ટ સતત ૧૪ વર્ષ સુધી વાઈલ્ડ લાઈફ વોર્ડન તરીકેની તેમની માનદ્ સેવાઓ જામનગર જિલ્લાને આપી ચૂક્યા છે તેમજ જામનગરની લાખોટા નેચર ક્લબના સ્થાપક અને વર્ષો સુધી પ્રમુખ તરીકે કાર્યરત રહી સાપ, વૃક્ષો અને વન્યજીવોને બચાવવાની કામગીરી નિષ્ઠાપૂર્વક નિભાવી છે. તેમના સીધા માર્ગદર્શન હેઠળ પ૦ થી વધુ યુવાનો સાપ બચાવવાની તાલીમ લઈ આજે પણ આ કામગીરી કરી અનેક લોકો અને જીવોને જિંદગી બક્ષી રહ્યા છે. વૃક્ષો હોય કે વન્યજીવો બચાવવાની ઝુંબેશમાં સુરેશભાઈ હર હંમેશ આગળ રહ્યા છે.લાખોટા તળાવની આસપાસના વૃક્ષો અને પક્ષીઓને સંરક્ષીત કરવાની ઝુંબેશમાં તેમનો સિંહફાળો રહ્યો છે, તો મોરકંડા પાસે એક વન પણ તેમના માર્ગદર્શન હેઠળ આકાર લઈ રહ્યું છે.
બોર્ડના બીજા સદસ્ય ચંદ્રવિજયસિંહ રાણા પણ પર્યાવરણ ક્ષેત્રે સતત કાર્યશીલ રહ્યા છે. તેઓ પણ જામનગર જિલ્લાના વાઈલ્ડ લાઈફ વોર્ડન રહી ચૂક્યા છે અને વૃક્ષો બચાવવાની લડતમાં અગ્રેસર રહ્યા છે. આગામી ૩ વર્ષ માટે આ બન્ને નગર રત્નોની નિમણૂક થતાં જામનગર જિલ્લા અને ગુજરાતમાં પર્યાવરણ અને વન્યજીવોના સંરક્ષણ ક્ષેત્રે નક્કર કાર્ય કરી કુદરતે આપેલ સંપત્તિને જાળવવામાં પોતાના અનુભવનો લાભ સમગ્રરાજ્યને મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial