Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧૫ ઃ જામનગરના એક મહિલાએ પોતાના પતિના પરિચિતને રૃા.૨૬ લાખ ૨૨ હજાર હાથ ઉછીના આપી મેળવેલો ચેક બેંકમાંથી પરત ફરતા ફરિયાદ કરી હતી. તે કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા ફટકારી છે.
જામનગરના મીનાબેન ભૂ૫તાણીના પતિ ઈલેશભાઈ સાથે વર્ષાેથી પરિચયમાં રહેલા અને વ્યવસાય સાથે સંકળાયેલા પરેશ પ્રવીણભાઈ દવેએ એક ઉઘરાણી ચૂકવવાની બાકી છે તેમ ઈલેશભાઈને કહેતા કુલ રૃા.ર૬ લાખ ૨૨ હજાર રોકડા મીનાબેને હાથ ઉછીના આપ્યા હતા. તેની સામે પરેશ દવેએ ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાંથી પરત ફરતા મીનાબેને જામનગરની અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી પરેશ પ્રવીણભાઈ દવેને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ ૬૦ દિવસમાં ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. વળતર ચૂકવવામાં ન આવે તો વધુ એક મહિનાની કેદની સજા ફરમાવાઈ છે. ફરિયાદી તરફથી વકીલ નિતલ ધ્રુવ, રાજેશ કે. ધ્રુવ, ડેનિશા એન. ધ્રુવ અને આશિષ ફટાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial