Advertisement
Author: નોબત સમાચાર

ડીકેવી કોલેજમાં શૈક્ષણિક સમય માંગ મુજબ બદલી અપાયો

યુવક કોંગ્રેસ, એનએસયુઆઈની સફળતા

જામનગર તા. ૧પઃ જામનગરની ડીકેવી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં આર્ટસ ફેકલ્ટીનો સમય બદલાવવામાં આવ્યો હતો. આ અંગે એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસ દ્વારા રજૂઆત કરી પુનઃ જુનો સમય કરી આપવામાં માંગ કરી હતી અને તેને સફળતા સાંપડી છે. આગામી સોમવારથી જુના સમય મુજબ શૈક્ષણિક કાર્ય શરૃ કરવામાં આવશે.

જામનગરની ડીકેવી કોલેજમાં આર્ટસ ફેકલ્ટીમાં સવારે ૮ થી ૧-૪૦ નો હતો તેમાં ફેરફાર કરીને સવારે ૧૧ થી પ-૪૦ નો કરી નાંખવામાં આવ્યો હતો.

આ પછી યુવક કોંગ્રેસના પ્રમુખ ડો. તૌસીફ ખાન પઠાણ, એનએસયુઆઈના શહેર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, એનએસયુઆઈના ગુજરાત મહામંત્રી મહિપાલસિંહ જાડજા તથા ગુજરાત મંત્રી શક્તિસિંહ જેઠવા દ્વારા કોલેજના પ્રિન્સિપાલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને આંદોલન કરવાની ચિમકી પણ આપી હતી.

આખરે કોલેજના પ્રિન્સિપાલ દ્વારા સમયમાં ફેરફાર કરી આપવામાં આવ્યો છે અને સોમવાર, તા. ૧૭ થી સવારે ૮ થી ર-૪૦ સુધી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થશે તેવો લેખિત આદેશ કરી દેવામાં આવ્યો છે.

આમ ફરી એ વખત એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસની રજૂઆતને સફળતા સાંપડી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh