Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પછડાટ લાગતા થઈ ઈજાઃ
જામનગર તા.૧૫ ઃ જોડિયાના જસાપર ગામમાં એક ખેતરમાં મજૂરી કરતા આદિવાસી મહિલા કૂવામાંથી પાણી ભરવા જતી વખતે કૂવામાં ખાબકી ગયા હતા. તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
જોડિયા તાલુકાના જસાપર ગામમાં આવેલા અવચરભાઈ બાવનજીભાઈ ગડારા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા જીતેન્દ્રભાઈ ભુરાભાઈ માવીના પત્ની વર્ષાબેન (ઉ.વ.૨૫) નામના મહિલા ગુરૃવારે સાંજે ખેતરમાં આવેલા કૂવામાં પાણી ભરવા માટે ગયા હતા.
આ વેળાએ વર્ષાબેનનો પગ લપસી જતાં આ મહિલા કૂવામાં ખાબકી ગયા હતા. પાણીમાં તેઓના પડવાનો અવાજ આવતા દોડી આવેલા પતિ જીતેન્દ્રભાઈ સહિતના વ્યક્તિઓએ તરત જ વર્ષાબેનને બહાર કાઢી લીધા હતા પરંતુ પછડાટ લાગવાથી ઈજા પામેલા વર્ષાબેનને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial