Advertisement
Author: નોબત સમાચાર

યોગેશ્વરધામ સોસાયટીમાં રોગચાળો ફેલાવાનું જોખમ

ગટરો છલકાવા મુદ્દે રજુઆત

જામનગર તા. ૧૫ઃ જામનગરના હાપામાં યોગેશ્વરધામ સોસાયટીમાં ગટર છલકાવાની કાયમી સમસ્યાથી સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. તંત્ર દ્વારા સમયાંતરે સફાઈ થાય એ પછી ફરીથી સ્થિતિ હતી એ ની એ જ થઈ જાય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ લેખિત રજુઆત કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે હાલ ચોમાસામાં ઋતુજન્ય રોગચાળા વકરવાની સાથે આ વિસ્તારમાં ગટરો છલકાતા યોગેશ્વરધામ શેરી નં. પ તથા આસપાસના વિસ્તારમાં રોગચાળો ફેલાવાનું જોખમ ઉભું થયું છે. જેને ધ્યાને લઈ તંત્ર દ્વારા તાકીદે સફાઈ તથા દવા છંટકાવની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh