Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લામાં ગાંધીનગરના અધિકારી એએસપી તરીકે મુકાયા
જામનગર તા.૧૫: જામનગરના વિભાગીય નાયબ પોલીસ અધિક્ષકની ગાંધીનગર બદલી કરવામાં આવી છે અને તેમની જગ્યાએ નર્મદા જિલ્લામાંથી એક અધિકારીને જામનગર મુકવામાં આવ્યા છે. આ અધિકારી અગાઉ ઈન્ચાર્જ ડીવાયએસપી તરીકે જામનગરમાં ફરજ બજાવી ગયા છે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં ગાંધીનગરથી એએસપીની નિયુક્તિ કરવામાં આવી છે.
જામનગર શહેરના વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક તરીકે હાલમાં નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા જયવીરસિંહ એન. ઝાલાની નિમણૂક કરવામાં આવી છે.
રાજ્યના ગૃહવિભાગ દ્વારા ગઈકાલે કરાયેલા આદેશમાં ગાંધીનગર સ્થિત સીઆઈડી ક્રાઈમના એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ-રના એએસપી બિશાખા જૈન (આઈપીએસ), ગાંધીનગર ટ્રાફિક બ્રાંચના એએસપી જીતેન્દ્ર અગ્રવાલ (આઈપીએસ) સહિતના અધિકારીઓની સાથે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના ફ્રોડ ઈન્વેસ્ટિગેશન વિભાગના એએસપી રાઘવ જૈનની પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એએસપી તરીકે નિયુક્તિનો હુકમ કરવામાં આવ્યો છે.
હાલમાં જામનગરમાં વિભાગીય પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા વરૃણ વસાવાને ગાંધીનગર સ્ટેટ ટ્રાફિક બ્રાંચમાં નિયુક્ત કરાયા છે અને તેમની જગ્યાએ જે.અને. ઝાલાને નિમણૂક આપવામાં આવી છે. આ અધિકારી થોડા મહિનાઓ પહેલા જામનગરમાં ઈન્ચાર્જ ડીવાયએસપી તરીકે ફરજ બજાવી ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial