Advertisement
Author: નોબત સમાચાર

વેચી નાખેલું મકાન પરત મેળવવા માટે બોલાચાલી પછી યુવાન પર ચારનો હુમલો

માટેલ ચોકમાં પાઈપ વડે કરાયો હલ્લોઃ

જામનગર તા.૧૫ ઃ જામજોધપુરના બાલવા ગામમાં એક મકાન વેચ્યા પછી તેને પરત મેળવવા ઈચ્છતા તે મકાનના જૂના માલિક સહિત ચારે ખરીદનારના માસીયાઈ ભાઈને ધોકાવી નાખ્યો હતો. જ્યારે રામેેશ્વરનગર પાછળ માટેલ ચોકમાં એક શખ્સે પાઈપથી હુમલો કરી સરકારી વાહનના ચાલક અને મહિલાને માર માર્યાે હતો.

જામજોધપુર તાલુકાના બાલવા ગામના જયેશભાઈ દેવાભાઈ સોંદરવાના માસીના દીકરા અશ્વિનભાઈએ થોડા સમય પહેલા બાલવા ગામમાં જ કિશોરભાઈ ભૂપતભાઈ ધુળા પાસેથી મકાન વેચાતું લીધુ હતું તે મકાન વેચ્યા પછી કિશોર ધુળાએ પરત માંગતા બોલાચાલી થઈ હતી.

તે પછી ગઈકાલે બપોરે જયેશભાઈ માસીયાઈ ભાઈના ઘેરથી પોતાના ઘર તરફ જતાં હતા ત્યારે શેરીમાં કિશોર તથા તેનો પુત્ર મનિષ મળી ગયો હતો. આ શખ્સોએ ગાળો ભાંડી હતી. તેઓને ગાળો બોલવાની ના પાડતા પિતા-પુત્ર અને રવિ કિશોરભાઈ તેમજ ભૂપત ઉર્ફે જેઠાભાઈ રામાભાઈ ધુળા ધોકા વડે તૂટી પડ્યા હતા. માથામાં ઈજા પામેલા જયેશભાઈને દવાખાને ખસેડવામાં આવ્યા છે જ્યાંથી તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના રામેશ્વરનગર પાછળ આવેલા ક્રિષ્ના પાર્કમાં રહેતા નરેન્દ્રસિંહ બટુકસિંહ ગોહિલ અને હર્ષાબા ગઈકાલે રાત્રે પોતાના ઘર પાસે બાઈક રાખતા હતા ત્યારે ત્યાં જ રહેતા લાલા દરબાર નામના શખ્સે રોંગ સાઈડમાં વાહન ચલાવવા બાબતે બોલાચાલી કરી હતી. નરેન્દ્રસિંહે હું સરકારી વાહન ચલાવું છું, ક્યારેય રોંગ સાઈડમાં ન ચલાવું તેમ કહેતા લાલાએ જેમ ફાવે તેમ બોલતા અને તેને અટકાવાતા લાલાએ પાઈપ વડે નરેન્દ્રસિંહ તથા હર્ષાબા પર હુમલો કર્યાે હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh