Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાની આજુબાજુ ૧૦૦ મીટરમાં આંદોલન-ઉપવાસ-ધરણાં પર પ્રતિબંધ

નાગરિકોને અગવડતા ન પડે અને કાયદો-વ્યવસ્થા જળવાય તે માટે

જામનગર તા. ૧પઃ જામનગર મહાનગરપાલિકા કચેરી-શાખા પરિસરના ૧૦૦ મીટરના વિસ્તારમાં આંદોલન, ઉપવાસ, ધરણાં કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જામનગર મહાનગર પાલિકામાં કમિશનર કચેરી, વિભાગીય અધિકારીની કચેરી અને અન્ય વિવિધ શાખાઓ કાર્યરત છે. જ્યાં લોકો દ્વારા પોતાના પ્રશ્નો બાબતે ઉપવાસ આંદોલન ધરણાં કરવામાં આવતા રહે છે. મોટા અવાજે સુત્રોચાર કરવામાં આવતા રહે છે આથી કામગીરીમાં વિલંબ ઉભો થાય છે. નાગરિકોને અગવડતા ન પડે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી જામનગરમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભાવેશ ખેર દ્વારા જામનગર મહાનગર કચેરી આસપાસની ૧૦૦ મીટરની ત્રીજીયામાં આંદોલન, ઉપવાસ ધરણાં ઉપર બેસવા ઉપર પ્રતિબંધ લાદતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

તા. ૧૪-૭-ર૩ થી તા. ૧૧-૯-ર૩ સુધી આ જાહેરનામું અમલમાં રહેશે અને નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસર પગલા લેવામાં આવશે. તેમ જાહેરનામામાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh