Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગીતા મશીન ટુલ્સની અદ્ભુત સિદ્ધિઃ
જામનગર તા. ૧પઃ ભારતે અવકાશમાં ચંદ્રયાન-૩ ને છોડવાની તાકાત દર્શાવી છે, ત્યારે આ ચંદ્રયાન-૩ મિશનમાંજામનગરને પણ ગૌરવ પ્રાપ્ત થયું છે.
આ ચંદ્રયાન-૩ ને છોડવા માટેના રોકેટનું નિર્માણ કરવા માટે ભારત સરકાર તરફથી જામનગરના સુપ્રસિદ્ધ ઔદ્યોગિક એકમ ગીતા મશીન ટુલ્સને મશીન બનાવી આપવાનો ઓર્ડર મળ્યો હતો.
ગીતા મશીન ટુલ્સના માલિક સરદારસિંહજી જાડેજાના જણાવ્યા પ્રમાણે જામનગરમાં આ મહાકાય મશીન બનાવવામાં રપ-૩૦ ટેકનિકલ નિષ્ણાતો કામે લાગ્યા હતાં અને સંપૂર્ણ રીતે કોમ્પ્યુટરાઈઝ્ડ પ્રોગ્રામીંગ સાથેનું આ મશીન તૈયાર કરી તેના આઠ ભાગોને અલગ-અલગ ટ્રકો મારફત હૈદ્રાબાદ મોકલવામાં આવ્યા હતાં. આ સીએનસી મશીનના નિર્માણ માટે ઈમ્પોર્ટેડ સીમેન્સ કંપનીના કોમ્પ્યુટર પાર્ટસ વાપરવામાં આવ્યા છે, જ્યારે બાકીના તમામ પાર્ટસ અહીં બનાવવામાં આવ્યા અને મશીન તૈયાર કરવામાં આવ્યું હતું.
હૈદ્રાબાદમાં આ મશીનના ભાગોને જોડીને તૈયાર કરી ત્યાંના અધિકારીઓને સોંપાયું અને મશીનની તમામ ચકાસણી કર્યા પછી તેનો ઉપયોગ ચંદ્રયાનના રોકેટના નિર્માણ માટે કરાયો છે.
આમ જામનગરના ઉદ્યોગજગતે એક અનોખી સિદ્ધિ હાંસલ કરી સમગ્ર દેશમાં ગૌરવ અપાવ્યું છે. આ અગાઉ પણ જામનગરના બ્રાસ ઉદ્યોગના એકમે ભારતીય બનાવટની ટેંકના ઉત્પાદનમાં પાર્ટસ તૈયાર કરી સપ્લાય કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial