Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧પઃ જામનગરના પૂર્વ રણજી ખેલાડી વામનભાઈ દેવશંકરભાઈ જાનીનું ૮૪ વર્ષની વયે આજે અવસાન થયું છે.
વામનભાઈ જાની સૌરાષ્ટ્રની ટીમમાંથી રણજી ટ્રોફીના અનેક મેચો રમ્યા હતા અને વિકેટકીપર તથા ટોપ-ઓર્ડર બેટસમેન તરીકે ઉતમ પ્રદર્શન કર્યું હતું.
ક્રિકેટની રમતમાંથી નિવૃત્ત થયા પછી તેઓ નિયમિત રીતે ક્રિકેટ બંગલાના મેદાન પર આવતા અને નવોદિત ઉગતા તથા બાળ ક્રિકેટ ખેલાડીઓને માર્ગદર્શન અને સલાહ સૂચન આપતા હતાં. છેલ્લા બે એક વરસથી તેમની તબીયત નાદુરસ્ત રહેતી હતી, તેમ છતાં ક્રિકેટની રમતને લગતા કોઈપણ ઈવેન્ટ કે કાર્યક્રમમાં તેઓ અચૂક હાજર રહેતા હતાં.
તેઓ પૂર્વ રાજવી અને ક્રિકેટર જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાના ખૂબ જ નિકટવર્તી હતા તથા સલીમભાઈ દુરાની, ચંદ્રશેખર બક્ષી, રાજેન્દ્રસિંહ જાડેજા, વિનુભાઈ ધ્રુવ, મહેન્દ્રસિંહ ચૌહાણ વગેરેના અંગત મિત્ર રહ્યા હતાં.
તેમની વિદાયથી જામનગરના ક્રિકેટ જગતે એક વડીલ માર્ગદર્શક અને અનુભવી ક્રિકેટર ગુમાવ્યા છે. જામનગરના ક્રિકેટ પ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial