Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાની લોહાણા મહાજનવાડીમાં તા. ૧૬ જુલાઈના શંકરાચાર્ય સ્વામી સદાનંદજીની ધર્મસભાઃ શોભાયાત્રા

રઘુવંશીઓની ઉભી ધામઃ ભવ્ય આયોજન

દ્વારકા તા.૧પઃ આગામી અષાઢ વદ ચૌદશને તા. ૧૬-૭-ર૩ રવિવારે દ્વારકા લોહાણા મહાજનવાડીમાં વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી શારદાપીઠાધિશ્વર જગતગુરૃ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ લોહાણા સમાજને આશીર્વાદ આપી ધર્મસભાને સંબોધીત કરશે. તે પહેલાં સાંજે ૭-૧પ વાગ્યે શાકમાર્કેટ ચોકમાં લોહાણા સમાજ દ્વારા શંકરાચાર્યેજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને ત્યાંથી મહાજનવાડી સુધી પહોંચવા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા પછી શંકરાચાર્ય મહારાજ ધર્મસભાને સંબોધીત કરશે અને ત્યારબાદ ઊભીધામમાં સૌ રઘુવંશીઓ માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમોમાં સમસ્ત રઘુવંશી ભાઈઓ અને બહેનોને પધારવા આયોજકોએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh