Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧પઃ ઈરાકના પવિત્ર શહેર કરબલામાં વર્ષો પૂર્વે સત્યની ખાતર હઝરતે ઈમામે હુશેને ૭ર-બહાદુર સાથીઓ સાથે શહીદી વોહરી લીધી હતી. શહીદોની શહાદત નિમિત્તે વાએઝ શરીફના શહેરમાં શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવશે. તા. ૧૯-૭-ર૦ર૩ થી મુસ્લિમો નવા વર્ષની શરૃઆત થશે. મોહર્રમના ચાંદ રાતથી મુસ્લિમોના નવા વર્ષની ઉજવણી કરશે.
આ અવસરે શહેરની મસ્જિદો, મદ્રેસાઓ, ઈબાદતથી ગુંજી ઉઠશે. શહેર, જિલ્લામાં ઈશા નમાઝ પછી ભારતના મશહુર સુન્ની આલીમોનું નુરાની આગમન થશે. ૧૦ દિવસ હઝરત ઈમામે હુશેનની શહાદતની યાદમાં શાનદાર તકરીર કરશે અને મસ્જિદોમાં, લત્તાઓમાં યાદે શહીદે કરબલાની શબીલો - ન્યાઝો, કમિટીઓ પુરજોશમાં તૈયાર કરી રહ્યાં છે. તેમજ ગરીબો, અપંગો, ગરીબ વિદ્યાર્થીઓને ભણતરમાં મદદ તથા કોલેજ, સ્કૂલ, ટ્યુશન ફી ભરીને નવા વર્ષની ઉજવણી કરવા મતવા મસ્જિદના ઈમામ હાજી અ.કાદર આરબ અને આશાદીપ વિકલાંગ ટ્રસ્ટના સતારભાઈ દરજાદાએ અનુરોધ કરેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial