Advertisement
Author: નોબત સમાચાર

એરપોર્ટ રોડ પર થયેલી હત્યાના ગુન્હાના આરોપીની જામીનમુક્તિ કરતી અદાલત

નાસ્તાના ઓર્ડર બાબતે થયો હતો ઝઘડોઃ

જામનગર તા.૧૭ ઃ જામનગરના એરપોર્ર રોડ પર ચાર મહિના પહેલા રાત્રિના સમયે નાસ્તાનો ઓર્ડર આપવાની બાબતે એક યુવાનની હત્યા થઈ ગઈ હતી. તે ગુન્હાના એક આરોપીએ ચાર્જશીટ પછી જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે તેને જામીન પર છોડ્યો છે.

જામનગરના એરપોર્ટ રોડ પર આવેલી એક હોટલ નજીક ગઈ તા.૧-૧૨-૨૨ની રાત્રે નાસ્તો કરવા માટે ગયેલા ખીમરાજ ભાયાભાઈ રાજાણી, દેવદાસ ભાયાભાઈ રાજાણી સાથે ઓર્ડર આપવાની બાબતે બોલાચાલી થતાં ત્રણ શખ્સો છરીથી તૂટી પડ્યા હતા. તે પછી મોટરમાં ત્રણેય શખ્સ નાસી ગયા હતા.

હુમલામાં ગંભીર ઈજા પામેલા ખીમરાજ ભાયાભાઈનું સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે ગુન્હો નોંધી શરૃ કરેલી તપાસમાં કારના નંબરના આધારે દેવાંગ રામ ચાવડા, હિતેશ અરજણ ચાવડા, સાગર જયસુખ નંદાણીયા, કરશન ભાયા માડમ, ભાવેશ પરબત માડમ ઝડપાયા હતા. આરોપી પૈકીના ભાવેશની જામીનમુક્તિ થયા પછી ચાર્જશીટ થયું હતું. આરોપી પૈકીના કરશન ભાયા માડમે જામીનમુક્ત થવા કોર્ટમાં અરજી કરતા અદાલતે આરોપીના વકીલ વી.એચ. કનારા, ડી.એમ. વિરાણીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને જામીન પર છોડ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh