Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના શ્રેષ્ઠીઓ-મહાનુભાવો દ્વારા સ્વાગત-સન્માનઃ ખાસ પ્રસાદ ધરાવી પૂજા કરાવાઈ
જામનગરમાં આવેલ વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિરે ગઈકાલે રાત્રે રિલાયન્સના મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી દર્શન કરવામાં આવ્યા હતાં. દર્શન કર્યા પછી બાલા હનુમાન મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા અનંત અંબાણીનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. બાલા હનુમાનજી મંદિરમાં છેલ્લા પ૯ વર્ષથી અખંડ રામધુન ચાલી રહી છે. ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલ બાલા હનુમાન મંદિરે દર્શન કરી અનંત અંબાણીએ ધન્યતા અનુભવી હતી. બાલા હનુમાનજી મંદિરના પુજારી દ્વારા અનંત અંબાણીને પૂજા કરાવવામાં આવી હતી ત્યાર પછી મંદિરના ટ્રસ્ટી જીતુભાઈ લાલ, વિનુભાઈ તન્ના, લોહાણા અગ્રણી વિપુલભાઈ કોટક, ભરતભાઈ મોદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. અનંત અંબાણી માટે ખાસ પ્રસાદ પણ ધરવામાં આવ્યો હતો. અનંત અંબાણીને જોવા માટે પણ બાલા હનુમાન મંદિરે લોકો ઉમટી પડયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag