Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાઘેડી પાસે મોટર ગોથું મારી જતાં થઈ હતી ટોટલ લોસઃ
જામનગર તા.૧૭ ઃ જામનગરના નાઘેડી પાસે વળાંકમાં એક મોટર ગોથું મારી જતાં મોટર ટોટલ લોસ થઈ ગઈ હતી. તેના માલિકે વળતર મેળવવા કરેલી અરજી વીમા કંપનીએ નકારતા ગ્રાહક તકરાર ફોરમમાં ફરિયાદ થઈ હતી. ફોરમે વળતરની રકમ વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યાે છે.
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના ગોવિંદભાઈ મૂળુભાઈ ચેતરીયા નામના આસામી પોતાની મોટરમાં જામનગર તરફ આવતા હતા ત્યારે રાત્રિના સમયે નાઘેડી ગામ પાસે તેઓની મોટર ગોથું મારી ગઈ હતી.
આ અકસ્માતમાં મોટરને ખાસ્સું નુકસાન થતાં ગોવિંદભાઈએ વળતર મેળવવા મોટરની વીમા કંપની-આઈસી આઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યુરન્સ કંપનીને જાણ કરી હતી. વીમા કંપનીએ વળતર ચૂકવવાનો ઈન્કાર કર્યાે હતો. તેથી વીમા કંપની સામે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે રૃા. ૪, ૮૮, ૮૨૪ની રકમ સાત ટકાના વ્યાજ સાથે તેમજ માનસિક ત્રાસ અને ખર્ચની રકમ અલગથી ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ હર્ષીલ રાબડીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag