Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લા એલસીબી પરિવાર દ્વારા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસના એલસીબી વિભાગના પરિવારો દ્વારા યાત્રાધામ દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગતમંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. પીએસઆઈ ભાર્ગવ દેવમુરારી દ્વારા સપરિવાર ધ્વજાજીનું પૂજન કરવામાં આવ્યું હતું. પીઆઈ કે.કે. ગોહેલ, પીએસઆઈ ઉષાબેન બી.અખેડ, એ.એસ.આઈ.ઉ સજુભા જાડેજા, અરજણભાઈ મારૃ, કુલદિપસિંહ જાડેજા, અજીતભાઈ વગેરે પોલીસ પરિવાર ધ્વજાજીના પૂજનમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે પીઆઈ કે.કે. ગોહેલે જણાવેલ કે, દ્વારકાધીશના ચરણમાં પૂજન તથા ધ્વજાજીના આરોહણનો મોકો મળવો એ દ્વારકાધીશના આશીર્વાદ સમાન છે. પીએસઆઈ દેવમુરારીએ જણાવેલ કે દેવભૂમિ દ્વારકામાં કામ કરવું એ પણ ઠાકોરજીના આશીર્વાદ સમાન છે અને એ જ દરેક કાર્યમાં સફળતા આપે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag