Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના જામદેવરિયામાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદ સજા

ચારિત્ર્ય બાબતે શંકા કરી નિપજાવી હતી હત્યાઃ

ખંભાળિયા તા.૧૭ ઃ કલ્યાણપુરના જામદેવરિયા ગામમાં એક શખ્સે પત્ની પર ચારિત્ર્ય બાબતે શંકા કર્યા પછી કાળ સવાર થઈ જતાં પત્નીને દોરડા વડે ટૂંપો આપ્યો હતો અને માથામાં ત્રિકમનો હાથો ફટકાર્યાે હતો. આ મહિલાનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં ફેરવાયો હતો. આ કેસ ચાલી જતાં અદાલતે તક્સીરવાન ઠરાવી પતિને આજીવન કેદની સજા ફટકારી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામ દેવરિયા ગામમાં રહેતા રેખાબેન જશમતપરી ગોસ્વામી તથા તેમના પતિ જશમતપરી જેરામપરી ગોસ્વામી વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતા. પત્ની રેખાબેન પર પતિ વહેમ કરતો હતો અને તે બાબતે ઝઘડા કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપતો હોય મામલો તંગ બનતો જતો હતો.

તે દરમિયાન બનાવના દિવસે પતિ જશમતપરી પર કાળ સવાર થઈ ગયો હતો તેણે રેખાબેનને માર માર્યા પછી દોરડા વડે ગળાટૂંપો આપી દીધો હતો અને માથામાં ત્રિકમનો હાથો ફટકાર્યાે હતો. ગંભીર ઈજા પામેલા રેખાબેનનું મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો. ચાસલાણા ગામના જેરામગર લખમણગર રામદત્તીએ જે તે વખતે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૪૯૮ (એ), ૩૦૨ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

ઉપરોક્ત કેસ દ્વારકાની એડી. ડિસ્ટ્રીક્ટ સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા ફરિયાદ પક્ષે રજૂ કરેલા પુરાવાઓ અને દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી જશમતપરી ગોસ્વામીને તક્સીરવાન ઠરાવી આઈપીસી ૩૦૨ના ગુન્હામાં આજીવન કેદની સજા અને આઈપીસી ૪૯૮ (એ)ના ગુન્હામાં છ મહિનાની કેદ તથા કુલ રૃા.૧૧ હજારનો દંડ ફટકાર્યાે છે. સરકાર તરફથી પીપી અમિત એચ. વ્યાસ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh