Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેકની રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશઃ
જામનગર તા.૧૭ ઃ જામનગરના એક વેપારીએ રૃા.સવા ચાર લાખની રકમ એક કોન્ટ્રાક્ટર પાસેથી હાથઉછીની મેળવી આપેલો ચેક પરત ફરતા કોર્ટમાં ફરિયાદ થઈ હતી. તે કેસમાં અદાલતે આરોપી વેપારીને એક વર્ષની કેદ તથા વ્યાજ સાથે ચેકની રકમ ચૂકવવા હુકમ કર્યાે છે. જામનગરની વાલકેશ્વરી નગરીમાં રહેતા કોન્ટ્રાક્ટર મેઘરાજસિંહ મનુભા જાડેજા પાસેથી રૃપિયા સવા ચાર લાખ વેપારી વિશાલ અશોકપુરી ગોસાઈએ હાથઉછીના લઈ તેને પરત આપવા માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાં રજૂ કરવામાં આવતા એકાઉન્ટ બંધ થઈ ગયું છે તેવા શેરા સાથે પરત ફર્યાે હતો.
આ બાબતે નોટીસ પાઠવ્યા પછી મેઘરાજસિંહે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી વિશાલ અશોકપુરી ગોસાઈને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ પર નવ ટકા વાર્ષિક વ્યાજ ગણી દંડ ભરપાઈ કરવા અને ભરપાઈ થયેલો દંડ વળતરપેટે ફરિયાદીને ચૂકવી આપવાનો આદેશ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ રઘુવીરસિંહ કંચવા, કલ્પેશ શિયારવાલા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag