Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતક નગરમાં કરતા હતા ઘુઘરાનો વ્યવસાયઃ
જામનગર તા.૧૭ ઃ જામનગરના નિલકંઠનગરમાં વસવાટ કરતા અને ઘુઘરાના જાણીતા વ્યવસાયીએ પત્ની સાથે થયેલી સામાન્ય બોલાચાલીમાં દુખ લગાડી વિષપાન કર્યા પછી તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. પોલીસે તેમના પત્નીનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલ નિલકંઠનગરની શેરી નં.૨માં વસવાટ કરતા નિલેશભાઈ જયેન્દ્રભાઈ ગોરાતલ (ઉ.વ.૪૫) નામના બ્રહ્મક્ષત્રિય યુવાને ગયા મંગળવારે સવારે પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. બેશુદ્ધ બની ગયેલા નિલેશભાઈને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ગઈકાલે રાત્રે મૃત્યુ થયું છે. સિટી-એ ડિવિઝનના એએસઆઈ કે.પી. જાડેજાએ અપમૃત્યુની નોંધ કરી મૃતકના પત્ની ગીતાબેનનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના પતિ નિલેશભાઈને પાડોશી સાથે સંબંધ હતો તે બાબતે પતિ-પત્ની વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. આ બાબતનું માઠું લાગી આવતા નિલેશભાઈએ ઝેરના પારખા કર્યા હતા અને સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયું હતું. પોલીસે નિવેદનની નોંધ કરી તપાસ શરૃ કરી છે. મૃતક નિલેશભાઈ જામનગરના નહેરના કાંઠા વિસ્તારમાં ઘુઘરાનો વ્યવસાય કરતા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag