Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાંથી ગૌવંશને કતલખાને ધકેલવાનું ષડયંત્ર અટકાવવા માંગ

હિન્દુ સેના દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત

જામનગર તા. ૧૨: ગુજરાતમાંથી ગૌવંશને કતલખાને ધકેલવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. આ અંગે ગુજરાત હિન્દુ સેનાના પ્રમુખ પ્રતિક ભટ્ટ દ્વારા રાજ્યના ગૃહમંત્રી, મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી છે.

રાજ્યના અમુક જિલ્લામાં ચોક્કસ લોકો દ્વારા ગૌવંશને એકત્ર કરીને કતલખાને મોકલાઈ રહ્યા છે. ગૌ શાળા તબેલામાં પોંહચાડવાનો બહાને બોગસ દસ્તાવેજો બનાવી પોલીસ સહિતના તંત્રને ગેર માર્ગે દોરવામાં આવે છે.

હિન્દુ સેનાએ આ અંગે સર્વે પણ કર્યો હતો પરંતુ તંત્ર દ્વારા પૂરતો સહયોગ મળ્યો ન હતો. પરિણામે કયારેક ષડયંત્રકારો અને ગૌરક્ષકો સામસામે આવી જશે. આથી સરકારે આ મુદ્દે ગંભીરતા દાખવી યોગ્ય પગલા લેવાની જરૃર છે. અન્યથા હિન્દુ સેના આકરા પગલા લેતા અચકાશે નહીં જેના ગંભીર પરિણામ સરકારને ભોગવવા પડશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh