Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફરિયાદ પક્ષની અપીલના પગલે વ્યાજ ચૂકવવા હુકમઃ
જામનગર તા. ૧૨: ભાણવડના એક આસામીને પાંચ ચેક પરત ફરવાના કેસમાં સજા આપવામાં આવતા તેણે સજાના હુકમ સામે અપીલ કરી હતી અને ફરિયાદ પક્ષે સજા વધારી આપવા અપીલ કરી હતી. અદાલતે આરોપીની અપીલ નામંજૂર કરી ચેકની રકમ પર ૯ ટકા લેખે વ્યાજ ચૂકવી આપવા આરોપીને હુકમ કર્યાે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં રહેતા ઋચિર દીપકભાઈ પોપટે રૂ.૨૮ લાખ ૫૦ હજાર નિવૃત્ત શિક્ષિકા સરોજબેન હિરજીભાઈ ઘોડાસર પાસેથી હાથઉછીના મેળવી તેની પરત ચૂકવણી માટે પાંચ ચેક આપ્યા હતા.
તે તમામ ચેક પરત ફર્યાની સરોજબેને અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં સજા ફરમાવવામાં આવતા ઋચીર પોપટે જામનગરની સેશન્સ કોર્ટમાં અપીલ નોંધાવી હતી. તેની સામે ફરિયાદીની સજા વધારી આપવા ફરિયાદ પક્ષે અપીલ કરી હતી. સેશન્સ કોર્ટે આરોપી ઋચીરની અપીલ રદ્દ કરી ફરિયાદીની સજા વધારવા માટેની અપીલ મંજૂર કરી છે અને ચેકની રકમ પર ૯ ટકા લેખે વ્યાજ ચૂકવવા પણ હુકમ કર્યાે છે. હુકમ વખતે આરોપી કોર્ટમાં હાજર ન હતો. ફરિયાદી તરફથી વકીલ બી.એન. શેઠ, નિશ શેઠ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial