Advertisement
Author: નોબત સમાચાર

શેઠવડાળામાં યુવાનની હત્યાના કેસમાં છ આરોપીની પોલીસ દ્વારા કરાઈ ધરપકડ

બાળકોના ઝઘડામાં થઈ હતી બબાલઃ

જામનગર તા. ૧૨: જામજોધપુરના શેઠવડાળામાં બાળકોના ઝઘડામાં મોટેરા વચ્ચે પડતા બબાલ થઈ હતી. જેમાં એક યુવાનની હત્યા થઈ ગઈ હતી. પોલીસે એક મહિલા સહિત છ સામે ગુન્હો નોંધ્યા પછી તમામની ધરપકડ કરી છે.

જામજોધ૫ુર તાલુકાના શેઠવડાળા ગામના જમાઈપરા સોસાયટીમાં વસવાટ કરતા બે પરિવારના બાળકો સાથે રમતા હતા ત્યારે ઝઘડો થઈ જતાં વાલીઓ દોડી આવ્યા હતા. જેમાં રમેશભાઈ ભાણજીભાઈ વિરમગામા, પિયુષભાઈ, શૈલેષભાઈ પર પાડોશી પ્રકાશ બાબુભાઈ મકવાણા, બાબુભાઈ બચુભાઈ મકવાણા, કાનજી બચુભાઈ, રણછોડ બચુભાઈ, દયાબેન બાબુભાઈ, રવિ બાબુભાઈ નામના વ્યક્તિઓએ હુમલો કર્યાે હતો.

ઉપરોેક્ત ટોળાને લાકડીઓ ફટકારતા માથામાં ગંભીર ઈજા પામેલા રમેશભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની પોલીસમાં ફરિયાદ થયા પછી હત્યા સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાયો હતો. પોલીસે છએય આરોપીઓને પકડી પાડી પૂછપરછ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh