Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિ-પત્ની અને ચાર બાળકોના પરિવાર સહિત નિંદ્રાધીન કમભાગીઓ પર કાળનો પંજો
લખનૌ તા. ૧ર : ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં રેતી ભરેલો ખટારો ઝુંપડા પર ખાબકતા ૮ લોકોના કરૃણ મૃત્યુ થયા છે. ટ્રક ડ્રાઈવરને પોલીસે દબોચી લીધો છે.
ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં સર્જાયેલો ગમખ્વાર અકસ્માતમાં ૮ લોકોના મોત થયા હતાં. મૃતકોમાં ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આ અકસ્માતમાં એક બાળકી પણ ઘાયલ થઈ છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. બાળકીને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ આખો પરિવાર ઝુંપડામાં સુતો હતો, તે દરમિયાન એક ખટારો ઝુંપડા પાસે આવીને પલટી મારી ગયો હતો. તેમાં કમભાગી લોકો દબાઈ ગયા હતાં.
મૃતકોના પતિ-પત્ની, ચાર બાળકો અને એક સંબંધીનો સમાવેશ થાય છે. આ દુર્ઘટના મલ્લવાન શહેરમાં ઉન્નાવ રોડ પર ઓકટ્રોય નંબર બે પાસે થઈ હતી. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત ગત મંગળવારે રાત્રે થયો હતો. રસ્તાની બાજુમાં નટ સમાજના લોકોના ઝુંપડા આવેલા છે. રેતી ભરેલો ખટારો કાનપુરથી હરદોઈ તરફ જઈ રહ્યો હતો.
આ અકસ્માતમાં અવધેશ જેની ઉંમર ૪પ વર્ષની હોવાનું કહેવાય છે, તેનું મૃત્યુ થયું છે. આ ઉપરાંત અવધેશની પત્ની સુધા, પુત્રી સુનૈના, પુત્ર લલ્લા, બુદ્ધુ, હીરો, કરણ અને કોમલનું મોત થયું છે. આ અકસ્માતમાં અવધેશની પુત્રી બિટ્ટુ ગંભીર રીતે ઘાયલ છે. ઈજાગ્રસ્ત બિટ્ટુને મલ્લાવનના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી છે.
જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રક ડ્રાઈવરને કસ્ટડીમાં લઈને પૂછપરછ હાથ ધરી છે. સીએમ યોગી આદિત્યનાથે આ અકસ્માતની ગંભીર નોંધ લીધી છે. સીએમ યોગીએ મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યકત કરી છે. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી હોવાનું જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial