Advertisement
Author: નોબત સમાચાર

બર્ધનચોકમાં દબાણ હટાવ ઝુંબેશઃ પથારાવાળા દૂર કરાયા

મહાનગર૫ાલિકા, પોલીસની સંયુક્ત કામગીરીઃ

જામનગરના બર્ધનચોક વિસ્તારમાં ગઈકાલે મહાનગર૫ાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ૩૦ જેટલા પથારા દૂર ખસેડવામાં આવ્યા હતાં અને ૬ થી ૭ રેકડીઓ કબજે કરવામાં આવી હતી. બર્ધનચોક વિસ્તારમાં જાહેર રોડ ઉપર ધંધો કરતા પથારાવાળા, ફેરીયાઓ ટ્રાફિક સમસ્યા ઊભી કરે છે, નો હોકીંગ ઝોન જાહેર કરવામાં આવ્યો હોવા છતાં તંત્રની મહેરબાનીથી અહીં દરરોજ ટ્રાફિક સમસ્યા સર્જાય છે. ગઈકાલે પણ વધુ એક વખત જામનગર મહાનગરપાલિકા અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી અને ૩૦ જેટલા પથારાવાળાને દૂર ખસેડાયા હતાં. જ્યારે ટ્રાફિકને નડતરરૃપ સાતેક જેટલી રેંકડીઓ મહાનગરપાલિકાએ કબજે કરી હતી. જો કે, કાયમી નિરાકરણ લાવવામાં આવતું નહીં હોવાથી આ કામગીરી મહાનગરપાલિકા માટે નિયમિત થઈ ચૂકી છે અને સમયાંતરે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh