Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાંચનું લાંછન લાગતા
જામનગર તા. ૧રઃ જામનગરની જી.જી. હોસ્પિટલમાં મેડિકલ બોર્ડના પટાવાળા સામે લાંચનો કોઈ નોંધાયા પછી મેડિસીન વિભાગ અને મેડિકલ બોર્ડ વિભાગના પાંચ પટાવાળાની બદલી કરી નાખવામાં આવી છે. બીજી તરફ લાંચ કેઈસનો આરોપી પટાવાળો નાસી ગયો છે તેને પોલીસ શોધી રહી છે. તેની અગાઉ પણ વિવાદમાં સપડાતા બદલી કરવામાં આવી હતી.
જામનગરની જી.જી. હોસ્પિટલના મેડિકલ બોર્ડમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા અશોક પરમાર સામે લાંચ અંગેનો ગુન્હો નોંધાયો છે જો કે બે નાસી જતા પોલીસ તેને શોધી રહી છે.
બીજી તરફ હોસ્પિટલને લાંછન લગાડતા આ કેસ પછી કિશોર ચૌહાણ, વિજય વાછાણી, રમેશ પરમાર, દિનેશ સોલંકી અને લતીફ કાશ્માણીની બદલી કરી નાખવામાં આવી છે. તેમાંથી ત્રણ કાયમી કર્મચારી છે. જ્યારે બે આઉટ સોસીંગવાળા કર્મચારી છે. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ નાસી છુટેલા લાંચના આરોપી એવા પટાવાળા અશોક પરમાર સામે અગાઉ પણ ફરિયાદો ઉઠવા પામતા તેની બદલી કરવામાં આવી હતી પરંતુ થોડા સમય પછી તે પુનઃ ત્યાંજ ગોઠવાઈ ગયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial