Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રાફિક નિયમન કરવાનું કે માત્ર સીન-સપાટા મારવાના? એસ.પી.ને ય ગાંઠતા નથી?
જામનગરમાં નાગનાથ ગેઈટ પાસે દરરોજ ટ્રાફિક સમસ્યા સર્જાય છે. અહીં કયારેક ચારેક ટીઆરબી જવાનોની વાહન ચાલકો સામે આકરી રીતે દંડનીય કામગીરી કરતા જોવા મળતા રહે છે. ત્યારે સવાલ એ છે કે તેઓની સૌપ્રથમ ફરજ તો ટ્રાફિક સમસ્યા હળવી કરવાની છે તો શું આ ટ્રાફિક સમસ્યા તેમને દેખાતી નથી? ગઈકાલે તો અંતિમયાત્રાની બસ જે મૃતદેહને લેવા માટે જતી હતી તે ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. આખરે મહા મહેનતે ત્યાંથી વાહન પસાર કર્યું હતું. અહીં ખાનગી ટ્રાવેલ્સની બસ, ખાનગી ઈકો મોટર ચાલકો, રિક્ષાવાળા પોતાના વાહનો રોડ ઉપર ઊભા રાખીને મુસાફરો શોધતા હોય છે. અગાઉ તો એસ.પી. પણ અહીં પહોંચ્યા હતાં.જેના ફોટોગ્રાફસ અખબારો સુધી પહોંચ્યા હતાં. જ્યારે ટ્રાફિક શાખાના અધિકારીઓ કયારેય અહીં જોવા મળ્યા જ નથી. પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જામનગર પોલીસમાં ખરેખર ટ્રાફિક શાખા અસ્તિત્વમાં છે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial