Advertisement
Author: નોબત સમાચાર

પરિવારથી વિખૂટા પડેલા મહિલાને સુરક્ષિત આશ્રય અપાવતું સખી સેન્ટર

માનસિક અસ્વસ્થ મહિલાને અપાયું કાઉન્સેલીંગઃ

જામનગર તા. ૧૨: જામનગરના કામદાર કોલોની વિસ્તાર પાસેથી માનસિક અસ્વસ્થ મહિલા મળી આવતા સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા કાઉન્સેલીંગ કરાયા પછી તેઓના સુરક્ષિત આશ્રય માટે વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

જામનગરના કામદાર કોલોની વિસ્તારમાં આવેલા એક પેટ્રોલપંપ પાસે માનસિક રીતે અસ્વસ્થ લાગતા મહિલા બેબાકળી હાલતમાં જોવા મળતા કોઈએ ૧૮૧ અભિયમ્ મહિલા હેલ્પલાઈન ટીમને જાણ કરી હતી.

ત્યાં દોડી ગયેલી ટીમે આ મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખસેડ્યા પછી સાંત્વના આપી કાઉન્સેલીંગ કરતા તે મહિલાએ પોતાનો પરિવાર તેઓને સાથે રાખવા તૈયાર ન હોવાનંુ અને નશાના વ્યસનના કારણે તેણીની માનસિક સ્થિતિ લથડી હોવાનું જણાવ્યું હતું. તે મહિલાને સહાનુભૂતિભર્યા વાતાવરણમાં રાખી સેન્ટરના સંચાલક હેતલબેન અમેથીયા તથા સ્ટાફે જુદા જુદા આશ્રમનો સંપર્ક કરી આ મહિલાને આશ્રય આપવા વિનંતી કરી હતી જેમાં જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં દેવંગી આશ્રમ-નકલંકધામ દ્વારા તે મહિલાને આશ્રય આપવા તૈયારી દર્શાવતા સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા તે મહિલાને આ આશ્રમમાં મોકલવામાં આવ્યા છે. તેઓની સ્થિતિ સુધરે ત્યારે પરિવાર સાથે મિલાપ કરાવવાનો કોલ આપવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh