Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં તબીબી સારવાર આપતી સંસ્થાઓ-એકમો માટે રજિસ્ટ્રેશન ફરજિયાત

દવાખાના, હોસ્પિટલો, લેબોરેટરી સહિત

જામનગર તા. ૧૨: 'ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ ર૦ર૧' અન્વયે સમગ્ર જામનગર જિલ્લામાં આવેલી એલોપથી, લેબોરેટરી હોમિયોપથી, આયુર્વેદ, યુનાની, સિદ્ધા, નેચરોપથી, યોગા અને વગેરે અન્ય રીતે સારવાર આપતી તમામ તબીબી સંસ્થાઓ, ક્લિનિક, પોલી ક્લિનિક, હોસ્પિટલોએ જિલ્લા કક્ષાએ ફરજિયાત રીતે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેથી જામનગરમાં આવેલી તમામ તબીબી સારવાર આપતી સંસ્થાઓ, ક્લિનિક અને હોસ્પિટલોએ આ રજિસ્ટ્રેશન તાત્કાલિક રીતે પૂર્ણ કરાવવાનું રહેશે.

જે સંસ્થા કે ક્લિનિકનું રજિસ્ટ્રેશન ના થયેલ હોય, તો તેમના વિરૃદ્ધ ઉક્ત જણાવેલ એક્ટના સેક્શન-૩પ મુજબ પેનલ્ટી અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે આઈ.ડી.એસ.પી. બ્રાન્ચ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, જામનગરમાં સંપર્ક સાધી શકાશે. માહિતી મેળવી શકાશે, તેમ નોડલ ઓફિસર, ડિસ્ટ્રીક્ટ રજિસ્ટરીંગ ઓથોરિટી જી.સી.ઈ.એ. ર૦૧૧ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh