Advertisement
Author: નોબત સમાચાર

નેત્ર તથા સર્વરોગ નિદાન-સારવાર કેમ્પનું આયોજનઃ નિઃશૂલ્ક આયોજન

તા. ૧૩ જૂને દયારામ લાયબ્રેરીમાં

જામનગર તા. ૧૨: જામનગરના વી.વી. ત્રિવેદી ચેરી.ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદીના સહયોગથી નિઃશૂલ્ક નેત્રયજ્ઞ તથા સર્વરોગ નિદાન સારવારનો મેગા કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પ તા. ૧૩ ના સવારે ૯ થી ૧ર દયારામ લાયબ્રેરી, રણજીતરોડ, ગ્રેઈન માર્કેટ પાસે, જામનગરમાં રાખવામાં આવ્યો છે.

કેમ્પમાં ડો. હિરાબેન જોશી રોગનું નિદાન અને સારવાર કરશે. આંખની તપાસ ઓપ્થોમેટ્રીકસ પરેશ ખુડખુડીયા કરશે. મોતીયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે.

જનતાને આ કેમ્પનો લાભ લેવા પ્રફુલ્લભાઈ શેઠ, જીવદયા પરિવાર સેવા સંસ્થા તથા વી.વી. ત્રિવેદી ચેરી. ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh