Advertisement
Author: નોબત સમાચાર

રૂ.૨૬ લાખના ચેક પરતના કેસમાં આરોપીને બે વર્ષની કેદની થઈ સજા

ચેકથી બમણી રકમનો ચેક ભરવા આદેશઃ

જામનગર તા. ૧૨: લાલપુરના કાના છીકારી ગામના એક આસામીએ રૂ.૨૬ લાખ ઉપરાંતના ચેક પરતની અન્ય આસામી સામે કરેલી ફરિયાદમાં અદાલતે આરોપીને બે વર્ષની કેદની સજા અને ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યાે છે.

લાલપુર તાલુકાના કાના છીકારી ગામમાં છત્રગીરી કલ્યાણગીરી ગોસ્વામીએ વર્ષ ૨૦૧૭માં પ્રતાપ દુદાભાઈ ગોરાણીયા પાસેથી કેટલાક પ્લોટ ખરીદ્યા હતા. તેની સુંથી ચૂકવી અપાતા વેચાણ કરાર કરાયો હતો. જેમાં ચાર મહિનામાં બાકીની રકમ ચૂકવી દસ્તાવેજ કરવાની શરત મુકવામાં આવી હતી.

તે શરત મુજબ છત્રગીરીએ બાકીની રકમ ચૂકવી આપવા તૈયારી બતાવી હોવા છતાં પ્રતાપ ગોરાણીયા દસ્તાવેજ કરી આપતા ન હતા. ચાર વર્ષ આમ જ વીતી જતાં અને તે દરમિયાન પ્રતાપ ગોરાણીયાએ તે મિલકત અન્યને વેચી નાખતા છત્રગીરીએ તે અંગે વાત કરી હતી. તેથી તેઓએ ચૂકવેલી સુંથીની રૂ.૨૬,૨૯,૪૦૦ની રકમ પરત આપવા પ્રતાપ ગોરાણીયાએ ચેક આપ્યો હતો.

તે ચેક બેંકમાંથી પરત ફરતા છત્રગીરીએ અદાલતમાં ફરિયાદ કરી હતી. તે કેસ ચાલવા પર આવતા આરોપી પક્ષે દલીલ કરી હતી કે, હિમાંશુ ગોસ્વામી ઈલેકટ્રીશીયનનું કામ કરતા વ્યક્તિ પાસેથી તેઓએ રૂ.૩૦ લાખ લીધા હતા. જ્યારે હિમાંશુએ રૂ.૩૦ લાખ છત્રગીરીએ આપવાના હતા. આ માટેનો ચેક હિમાંશુનો હવાલો આપી છત્રગીરીએ મેળવી લીધો હતો અને વેચાણ કરાર ઉભો કર્યાે છે અને આ ફરિયાદ ખોટી છે.

તે દલીલ સામે ફરિયાદપક્ષે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી પ્રતાપ ગોરાણીયાને તક્સીરવાન ઠરાવી બે વર્ષની કેદની સજા અને રૂ.૫૨,૫૮,૮૦૦નો દંડ ફટકાર્યાે છે. તેમાંથી ફરિયાદીને ચેક મુજબની રકમ વળતર પેટે આપવા આદેશ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ રાજેશ ગોસાઈ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh