Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'નીટ'ની પરીક્ષામાં ગેરરીતિના મામલે વિરોધ પ્રદર્શન
જામનગર તા. ૧રઃ નીટની પરીક્ષામાં ગેરરીતિ થતા અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા છે તેવા આક્ષેપ સાથે ગઈકાલે સાંજે જામનગરમાં યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ડીકેવી સર્કલ પાસે ધરણાં અને પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૧ર ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
નીટની પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. વિદ્યાર્થીઓના કહેવા મુજબ નીટની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનું જોવા મળી રહ્યું છે. આ મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો જ્યાં કોર્ટે આકરા શબ્દોમાં જાટકણી કાઢીને નીટની પરીક્ષા રદ કરવા અને કાઉન્સેલિંગ પણ રોક લગાવવાની દલીલ ફગાવી દીધી હતી અને નોટીસ આપીને નેશનલ ટેસ્ટિંગ એજન્સી પાસે જવાબ માંગ્યો હતો.
આમ નીટની પરીક્ષામાં ગેરરીતિમા મુદ્દે વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાનમાં રાખી જામનગરમાં એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસ દ્વારા ગત સાંજે ડીકેવી સર્કલ, સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પાસે ધરણાં અને પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને કૌભાંડીઓને સજા મળે અને અન્યાયનો ભોગ બનેલા વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી માંગણી કરી હતી.
આ કાર્યક્રમમાં જામનગરના એનએસયુઆઈના પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, યુવક કોંગ્રેસના પ્રમુખ ડો. તોસિફખાન પઠાણ, એનએસયુઆઈના ગુજરાત મંત્રી મહિપાલસિંહ જાડેજા, યુવક કોંગ્રેસ મંત્રી શક્તિસિંહ જેઠવા સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતાં.
આ આંદોલનનો કાર્યક્રમ જાહેર રોડ ઉપર કરવામાં આવ્યો હોવાથી એનએસયુઆઈ અને ને યુવક કોંગ્રેસના ૧ર જેટલા કાર્યકર્તાઓની જામનગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જો કે પછીથી તેઓને છોડી દેવાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial