Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં યોજાનાર આર્મી ભરતી રેલીની લેખિત પરીક્ષાના સ્થળમાં ફેરફાર

એડમીટ કાર્ડ મેળવેલ ઉમેદવારો નોંધે

જામનગર તા. ૧૨ઃ તાજેતરમાં ભારતીય સેનામાં જોડાવા ઈચ્છુક યુવાનો માટે વિવિધ જગ્યાઓની ભરતી  પ્રક્રિયા રાજકોટમાં યોજાઇ હતી. આર્મી રિકૃટમેન્ટ ઓફિસ, જમનગર દ્વારા આપેલ પત્ર અન્વયે રાજકોટમાં યોજાયેલા આર્મી ભરતી રેલીમાં એડમિટ કાર્ડ મેળવેલ ઉમેદવારોની લેખિત પરિક્ષાના સ્થળમાં ફેરફાર થયેલ છે.

આ ઉમેદવારો માટે કોમન એન્ટ્રન્સ એકઝામ (સીઈઈ) આગામી તા.૧૫/૦૧/૨૩ના ઈન્ફન્ટ્રી લાઈન, સોમનાથ ગેટ, જામનગરમાં યોજાશે. જેથી તમામ ઉમેદવારોએ ઉપરોક્ત જણાવેલ પરીક્ષા સ્થળ ફેરફારની નોંધ લેવી. આ અંગે વધુ માહિતી માટે મદદનીશ નિયામક  (રોજગાર) ની કચેરી અને આર્મી રિકૃટમેન્ટ કચેરીનો સંપર્ક સાધી શકાશે, તેમ મદદનીશ નિયામકશ્રી (રોજગાર), જામનગરની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh