Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રઘુવંશી લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે
જામનગર તા. ૧૧ઃ શ્રી રઘુવંશી સમાજના લગ્નોત્સુક યુવક-યુવતીઓ અને તેમના વાલીઓને સહાયરૃપ થવા અને માર્ગદર્શક થવાના શુભ હેતુ સાથે શ્રી જામનગર લોહાણા મહાજન સંચાલિત સંકલ્પ વેવિશાળ માહિતી કેન્દ્રના સભ્યશ્રીઓ દ્વારા શ્રી જામનગર લોહાણા મહાજન વાડીમાં નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવે છે.
કોરોના કાળની મહામારી પછી આ સેવાઓ વિશેષ સવલતો સાથે શ્રી જામનગર લોહાણા મહાજનવાડીમાં દર રવિવારે સવારે ૧૦ઃ૩૦ થી ૧ઃ૦૦ વાગ્યા દરમ્યાન પુનઃ કાર્યરત કરવામાં આવેલ છે. સંસ્થામાં યુવક-યુવતીઓના બાયોડેટા સાથે નવા ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. આથી રઘુવંશી સમાજના લગ્નોત્સુક યુવક-યુવતીઓ તથા તેમના વાલીઓને આ સેવાનો લાભ લેવા સંસ્થા દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag