Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા રાજગોર સમાજ યુવક મંડળની રચના કરાઈ

લખમણભાઈ ઓડીચની અધ્યક્ષતામાં

ખંભાળિયા તા.૧૨ ઃ તાજેતરમાં ખંભાળિયા રાજગોર બ્રાહ્મણ સમાજની મિટિંગ પ્રમુખ લખમણભાઈ માલદેભાઈ ઓડીચની અધ્યક્ષતામાં મળી હતી જેમાં રાજગોર સમાજ યુવક મંડળની રચના કરવામાં આવી હતી. રાણાભાઈ ગોવાભાઈ અસ્વાર તથા દેવશીભાઈ ઓડીચના સમર્થનથી નવું યુવક મંડળ જાહેર થયેલું તેઓ સમાજ સંગઠન તથા જ્ઞાતિ ઉત્કર્ષના કાર્યાે કરશે. રાજગોર સમાજ યુવક મંડળના પ્રમુખ તરીકે દેવશીભાઈ ઓડીચ, ઉપપ્રમુખ તરીકે દિનેશભાઈ ચાઉં, મંત્રી તરીકે ભરતભાઈ અસ્વાર તથા ખજાનચી તરીકે કિશનભાઈ વોરીયાની નિમણૂક થઈ છે. જેમાં સદસ્યો તરીકે ભાયાભાઈ કરશનભાઈ અસ્વાર, કિશોરભાઈ અસ્વાર, જયસુખભાઈ અસ્વાર, દિવ્યાંગભાઈ ઓડીચ તથા હેમાંગભાઈ વોરીયાની નિમણૂક થઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh