Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧૫-૦૧-૨૦૨૩ દિને
જામનગર તા. ૧રઃ જામનગરના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો. ગાયત્રી સુરેશ ઠાકર તથા સિદ્ધિ વિનાયક હોસ્પિટલ દ્વારા આગામી તા. ૧પ-૦૧-ર૦ર૩ ના રવિવારે સવારે ૯ થી ૧ર વાગ્યા સુધી સિદ્ધિ વિનાયક હોસ્પિટલમાં નિઃસંતાન દંપતી (સ્ત્રી-પુરુષ) માટે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાભ લેવા માટે સવારે ૯ થી ૧ર દરમિયાન ફોન નં. ૦ર૮૮-રપપર૧૧૭, રપ૧૦૦૭૭, મો.નં. ૯૪ર૭૯ ૪૪૦૬૩ ઉપર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
આ કેમ્પમાં નિઃસંતાન દંપતી કે જેમને ત્રણ કે તેથી વધુ વર્ષનું લગ્નજીવન હોય કે ત્રણથી વધુ નિષ્ફળ સારવાર કરેલ હોય, ફરીથી બીજુ બાળક રહેવામાં મુશ્કેલી હોય, વારંવાર એબોર્શન, ફોલોપિયન ટ્યુબ બંધ હોવી, પોલીસીસ્ટિક ઓવેરિયન ડીસીઝ, બીજ ન બનવા અન્ય કે અગમ્ય કારણોસરનું વંધ્યત્વ હોય તેમજ ગર્ભાશયના મુખના રોગોના નિદાન માટે કોલ્સોસ્કોપી નામના સાધન દ્વારા સચોટ નિદાન કરવામાં આવશે. પુરુષો માટે શુકાણુંની કમી તેમજ અન્ય કારણો માટે નિદાન કરી આપવામાં આવશે.
લોહીનું ઊંચુ દબાણ, પ્રેગ્નન્સી સાથે ડાયાબિટીસ, થાયરોઈડ, પહેલી પ્રસૂતિ સિઝેરિયન દ્વારા, પહેલી જ પ્રેગ્નન્સીમાં જોડકા બાળકો, એનિમિયા, કસુવાવડ, વંધ્યત્વ પછીનું બાળક, નબળું બાળક, ઓછું પાણી હોવું, મેલી ન બની હોય વગેરે.
આ કેમ્પમાં નોંધણી કરાવનાર દર્દીને સોનોગ્રાફી, લેપ્રોસ્કોપી સારવાર તેમજ ટેસ્ટ ટ્યુબ બેબીની સારવારમાં રાહત તથા કેમ્પની તારીખે મફત ફોલોઅપ કરી આપવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag