Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકામાં કર્મચારી સમયસર આવે છે! મેયરે કર્યું ચેકીંગ

જામનગર મહાનગરપાલિકામાં આજે સવારે ૧૦-૩પ કલાકે મેયર કચેરીના મુખ્ય દરવાજા પાસે મોડા આવનાર કર્મચારીઆની નોંધ કરી હતી. જામનગરમાં મહાનગરપાલિકા કચેરીમાં કર્મચારીઓ સમયસર આવે છે કે કેમ? તેની ચકાસણી માટે આજે મેયર બીનાબેન કોઠારી સવારે ૧૦-૩પ કલાકે મહાનગરપાલિકા કચેરીના મુખ્ય દરવાજા પાસે જ ઊભા રહી ગયા હતાં. લગભગ દસેક મિનિટનું તેમણે રોકાણ કર્યું હતું. આ દરમિયાન સમય કરતા મોડા આવનાર કર્મચારીઓએ મેયરને જોતા જ તેઓ શરમાઈ ગયા હતાં અને ત્યાંથી પોતાની ફરજ માટે ચાલ્યા ગયા હતાં. જો કે, કોઈ કર્મચારીને ઠપકો, નોટીસ વગેરે અપાયા નથી, પરંતુ સંબંધિત શાખા અધિકારીને તમામ સ્ટાફ સમયસર કચેરીમાં આવે તેવી તાકીદ મેયરે કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh