Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેકની રકમ વળતરપેટે ચૂકવવા કરાયો આદેશઃ
જામનગર તા.૧૨ ઃ જામનગરના એક આસામીએ પોતાના મિત્રને રૃા.૩ લાખ હાથઉછીના આપી ચેક મેળવ્યો હતો. તે ચેક પરતની અદાલતમાં કરાયેલી ફરિયાદમાં અદાલતે આરોપીને એક વર્ષની કેદ ફટકારી છે.
જામનગરના ગિરીશચંદ્ર શંભુદયાલ દ્વિવેદી પાસેથી તેમના મિત્ર ગોપાલ દેવીપ્રસાદ તિવારીએ રૃા.૩ લાખ હાથઉછીના મેળવી ચેક આપ્યો હતો. તે ચેક ગિરીશચંદ્રએ પોતાના બેંક એકાઉન્ટમાં રજૂ કરતા પરત ફર્યાે હતો. તે અંગે નોટીસ પાઠવાયા પછી ગોપાલ તિવારી સામે અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી.
તે કેસ ચાલવા પર આવતા આરોપીએ દલીલ કરી હતી કે, ફરિયાદી દ્વારા આરોપીનું સાચુ નામ જણાવાયું નથી તેથી બંને વચ્ચે મિત્રતાનો સંબંધ હોવાની વાત માની ન શકાય. તે ઉપરાંત ફરિયાદી પાસે આ રકમ આપવાની સગવડ ન હોય તેવો બચાવ લેવાયો હતો.
તેની સામે ફરિયાદીએ બંને વચ્ચે થયેલી સમજૂતીના સમાધાનનું લખાણ રજૂ કર્યું હતું. જેમાં ગોપાલ તિવારીએ ચેક મુજબની રકમ લીધી છે તે સ્વીકાર્યુ છે તેથી ચેક પડાવી લીધાનો બચાવ ઉભો ન રહી શકે. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી ગોપાલ દેવીપ્રસાદ તિવારીને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને રૃા.૩ લાખની રકમ વળતરપેટે ફરિયાદીને ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag