Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે
ખંભાળિયા તા. ૧૯ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં તાલુકા કક્ષાના ગ્રંથાલયને અપગ્રેડ કરી જિલ્લા કક્ષાના ગ્રંથાલયનું લોકાર્પણ આવતીકાલ તા. ર૦-૪-ર૦ર૩ (ગુરુવાર) ના સાંજે ૪ કલાકે જુની મામલતદાર કચેરીના મકાનમાં, કલ્યાણરાયજી મંદિર પાસે, કડિયાવાડ, જામખંભાળિયામાં પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ ક્લાઈમેટ ચેન્જ વિભાગ કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના ગ્રંથાલય દ્વારા સંચાલિત સરકારી જિલ્લા પુસ્તકાલય જામખંભાળિયા જિલ્લાના યુવાઓને ઉત્તમ વાચન સેવાઓ પૂરી પાડી રોજગારી મેળવવામાં ઉપયોગી થતી આ લાઈબ્રેરીમાં હાલમાં ર૦,૦૦૦ ઉપરાંત વિવિધ વિષયોના પુસ્તકોનો ખજાનો છે તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અલગથી સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનો ખજાનો ધરાવે છે અને નિયમિત ૬ દૈનિક અને ર૦ જેટલા સામયિકો વાચકોના ઉપયોગ માટે મંગાવવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag