Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની પરિણીતાએ અકળ કારણથી ખાઈ લીધો ગળાફાંંસોઃ પોલીસ દ્વારા તપાસ

જામનગર તા.૧૯: જામનગરની બોમ્બે દવા બજાર કોલોનીમાં રહેતા એક પરિણીતાએ અકળ કારણથી ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. પોલીસે મૃતકના સંબંધીનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગરના દિગ્જામ સર્કલ પાસે આવેલી બોમ્બે દવા બજાર કોલોનીની શેરી નં.૧માં રહેતા તસ્મિલાબેન શહેઝાદ ચૌહાણ નામના છવ્વીસ વર્ષના પરિણીતાએ ગઈકાલે રાત્રે નવેક વાગ્યે પોતાના ઘરે અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે.

આ પરિણીતાએ લોખંડની આડશમાં ચુંદડી બાંધી તેમાં ગાળિયો બનાવ્યો હતો અને જાત ટીંગાડી લીધી હતી જેની તેમના પરિવારને જાણ થયા પછી વસઈથી દોડી આવેલા આદમભાઈ ઈસ્માઈલભાઈ સમાએ પોલીસને જાણ કરી છે. સિટી-સી ડિવિઝનના પીએસઆઈ  જે.એસ. ગોવાણીએ મૃતદેહને પી.એમ. માટે ખસેડી આ મહિલાની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૃ કરી છે. આ મહિલાના સાતેક વર્ષ પહેલા નિકાહ થયા હોવાનું જાણવા મળ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh