Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧૯ ઃ જામનગરના એક મહિલાએ હોમલોન લેતી વખતે તેમના પતિના ઉતારાયેલા વીમા અંગે વળતર મેળવવા કરેલી અરજી વીમા કંપનીએ નકારતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે.
જામનગરના વિનોદભાઈ રૃ૫ાપરા નામના આસામીએ શ્રીરામ સિટી યુનિયન ફાયનાન્સ લિ. પાસેથી હોમ લોન મેળવી હતી. ફાયનાન્સ પેઢીએ રક્ષણ મેળવવા માટે વિનોદભાઈનો જે તે વખતે વીમો ઉતાર્યાે હતો. જેમાં જણાવાયું હતું કે, લોન ભરપાઈના સમયગાળા દરમિયાન વિનોદભાઈનંુ અવસાન થાય તો તેઓએ લોન ભરવી નહીં પડે.
તે પછી વિનોદભાઈની તબીયત બગડતા મૃત્યુ નિપજ્યું હતું. તેમના પત્ની રેખાબેને રૃા.૨૦ લાખનો કલેઈમ રજૂ કર્યાે હતો જેની શ્રીરામ ઈન્સ્યુરન્સ કંપનીએ નકાર્યાે હતો અને વિનોદભાઈને પહેલેથી કેન્સરની બીમારી હતી તેમ જણાવ્યું હતું તેથી નારાજ રેખાબેને શ્રીરામ ઈન્સ્યુરન્સ તથા શ્રીરામ સિટી ફાયનાન્સ સામે ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી.
તે ફરિયાદ ચાલી જતાં ફોરમે ફરિયાદીના પતિને અગાઉ કોઈ બીમારી ન હતી તેમ ઠરાવી કલેઈમની રકમ સાત ટકા વ્યાજ સાથે ચૂકવવા શ્રીરામ ઈન્સ્યુરન્સ કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ મયુર કટારમલ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag