Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૯ઃ 'સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ'ની રાજ્ય અને જિલ્લા મક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ 'તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અંતર્ગત લાલપુર તાલુકામાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૫-૦૪-૨૩ના સવારના ૧૧ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જામનગરના અધ્યક્ષસ્થાને લાલપુર મામલતદાર કચેરીના મિટિંગ હોલમાં યોજવામાં આવશે. લાલપુર તાલુકાના તમામ નાગરિકોને તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag