Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં આરોપી સામે એસપી મારફત પકડ વોરંટ કાઢવા કોર્ટનો હુકમ

જામનગર તા.૧૯: જામનગરના એક આસામી સામે ચેક પરતની થયેલી ફરિયાદમાં આરોપી હાજર થતો ન હોય તેની સામે જિલ્લા પોલીસવડા મારફતનું પકડ વોરંટ કાઢવાનો અદાલતે હુકમ કર્યાે છે.

જામનગરના મહેન્દ્રભાઈ ભાનુશાળી નામના આસામીએ ૫ોતાના મિત્ર હિતેશભાઈ જેરામભાઈ કુબાવત સામે અદાલતમાં ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં આરોપીને સમન્સ મળ્યા પછી પણ આરોપી હાજર રહેતો ન હોય, અદાલતે તેની સામે જામીનલાયક વોરંટ કાઢ્યું હતું.

તે પછી પણ આરોપી હાજર થયો ન હોય તેની સામે બિન જામીનલાયક વોરંટ ઈસ્યુ કરાયું હતું. તે દરમિયાન કોર્ટમાં ત્રણ મુદ્દત પડી ગયા પછી પણ પોલીસ દ્વારા આરોપી સામે પકડ વોરંટની બજવણી કરાઈ ન હોય ફરિયાદીએ કોર્ટમાં અરજી કરી હતી.

તે અરજીમાં જણાવાયા મુજબ સાધનાકોલોનીમાં રહેતા આરોપીના પત્નીનો જવાબ પોલીસે લીધો છે. તે પછી બે મુદ્દતથી આરોપી સામે પકડ વોરંટની કોઈ કારણથી બજવણી થતી નથી ત્યારે પોલીસ અધિક્ષક મારફત પકડ વોરંટ ઈસ્યુ કરવા રજૂઆત છે. અદાલતે પોલીસ અધિક્ષક મારફત પકડ વોરંટ કાઢવા હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ અબરારઅલી એ. ઘોરી, મિલન એસ. કનખરા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh