Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગળાફાંસો ખાઈ વ્હોરી લીધી આત્મહત્યાઃ
જામનગર તા.૧૯ ઃ જામનગરના સુભાષ માર્કેટ વિસ્તારમાં આવેલી મોચીસારમાં રહેતા એક પ્રૌઢે ગઈકાલે સાંજે અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. મૃતક એકલવાયું જીવન જીવતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં મોચીસારમાં વસવાટ કરતા જગદીશભાઈ રતિલાલ સરવૈયા નામના સત્તાવન વર્ષના પ્રૌઢે ગઈકાલે સાંજે પોતાના ઘરે પંખામાં ચંુદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો.
બનાવની જાણ થતાં પાડોશીઓ એકઠા થયા હતા અને કોઈએ પોલીસને જાણ કરી હતી. દોડી આવેલા પોલીસ સ્ટાફ તથા ૧૦૮ની ટીમે આ પ્રૌઢને નીચે ઉતારી ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી નિવેદનો નોંધ્યા છે. જેમાં ખૂલ્યા મુજબ મજૂરી કામ કરતા જગદીશભાઈ લાંબા સમયથી તે વિસ્તારમાં એકલા રહેતા હતા. પોલીસે મૃતકની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag