Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના મોબાઈલ શો રૃમમાં ઈનવોઈસ-રિફંડ કૌભાંડની તપાસઃ સર્ચ ઓપરેશન

રાજકોટથી સેન્ટ્રલ જીએસટીની ટીમ ત્રાટકી

જામનગર તા. ર૧ઃ જામનગરના લીમડાલાઈન વિસ્તારના એક મોબાઈલ ફોનના શો-રૃમમાં ગઈકાલે રાજકોટથી સેન્ટ્રલ જીએસટીની ટૂકડી તપાસ માટે આવી હતી જ્યાં ઈનવોઈસ ગોટાળા થયા હોવાનું જાણવા મળે છે.

જામનગરના લીમડાલાઈન વિસ્તારમાં આવેલ એક મોબાઈલ ફોનના શો-રૃમમાં રાજકોટ સ્થિત સેન્ટ્રલ જીએસટી વિભાગની ટૂકડીના સુપ્રિ. રાજીવ મણિયાર વગેરેએ તપાસ કરી હતી.

મળતી માહિતી મુજબ માલના વેંચાણ વગર માત્ર બીલ બનાવી ઈનવોઈસ કૌભાંડ ચલાવાતું હોવાની માહિતી મુજબ આ સર્ચ કામગીરી કરવામાં આવી હતી. ખાસ કરીને રિફંડમાં ગોટાળા થતા હોવાની પણ માહિતી મળી હોવાથી તેની પણ તપાસ કરવામાં આવી હતી. આ પછી મોડી સાંજે આ ટીમ તપાસના અંતે રાજકોટ પરત ફરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh