Advertisement
Author: નોબત સમાચાર

સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા આમ આદમી પાર્ટીની માંગ

જામનગર તા. ર૧ઃ સૌરાષ્ટ્રને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ ખેડૂતોને સહાય ચુકવવાની માંગ સાથે આપ દ્વારા સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ, જોડીયાના તાલુકા કિસાન સેલના પ્રમુખ લવજીભાઈ નંદાસણા અને તાલુકા પ્રમુખ વિજયભાઈ કાનાણી વગેરે દ્વારા જોડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું. જેમાં માંગણી કરવામાં આવી હતી કે બે વરસાદ વચ્ચે ચાર અઠવાડિયાનો ગાળો થયો હોય તો પાક નિષ્ફળ જાય છે. સૌરાષ્ટ્રમાં લાંબો સમયથી વરસાદ થયો નહોતો. પાક નિષ્ફળ ગયો છે. આથી ખેડૂતોને નિયમ મુજબ સહાય ચુકવવી જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh