Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાઆરતી-મહાભોગ-સંગીતના કાર્યક્રમો યોજાશે
દ્વારકા તા. ર૧ઃ દ્વારકામાં વિઘ્નહર્તા ગણેશજીના ઠેર ઠેર સ્થાપનો થયા છે, જેમાં દરરોજ મહાભોગ, મહાઆરતી અને સંગીતના વિશિષ્ટ કાર્યક્રમો યોજાશે.
દેશ-દુનિયાની સાથે ધર્મનગરી દ્વારકાના શહેર વિસ્તાર અને ભાગોળે આવેલા વિસ્તારોમાં ગુંદાળા દેવ ગણપતિજીની કલાત્મક અને વિવિધ વસ્ત્રો તથા અલંકારોના શણગાર સાથે સેવાભાવ ભક્તિ સાથે ગણપતિજીના મંડળો અને ભાવિકોની ઉપસ્થિતિમાં સ્થાપન કરવામાં આવ્યા છે.
દ્વારકાધીશ જગત મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારના પરિસરમાં તથા સિદ્ધેશ્વર મંદિર પરિસર અને સૂર્યમૂખી ગણપતિ મંદિર પરિસર તેમજ રિદ્ધિસિદ્ધિ સોસાયટીના પટાંગણ સિવાય નરસંગ ટેકરી, ટી.વી. સ્ટેશન વિસ્તાર, રેલવે સ્ટેશન વિસ્તારમાં ગણપતિજીના સ્થાપનો કરવામાં આવ્યા છે. દેરક મંડળો દ્વારા પાંચથી ૧૦ દિવસના ગણપતિના સ્થાપન સાથે જુદા જુદા ભક્તિ સંગીત તથા સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે રોજીંદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉપરાંત ધર્મનગરી દ્વારકામાં આવેલા પૌરાણિક ગણપતિજીના સ્થાપિત મંદિરોમાં પણ આધ્યાત્મિક આરાધના તથા સેવાપૂજાના કાર્યક્રમો યોજાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial