Advertisement
Author: નોબત સમાચાર

જામનગર-અમદાવાદ વચ્ચે વંદેભારત ટ્રેનનો તા. ર૪ સપ્ટેમ્બરથી આરંભ

વડાપ્રધાન વર્ચ્યુઅલ અને સાંસદ પૂનમબેન માડમના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે

જામનગર તા. ર૧ઃ જામનગર-અમદાવાદ વચ્ચે તા. ર૪ સપ્ટેમ્બરથી વંદેભારત ટ્રેનનો આરંભ થઈ રહ્યો છે. આ ટ્રેનની સુવિધા અંગે સંસદસભ્ય પૂનમબેન માડમે નવી દિલ્હીથી વીડિયો કોલથી જામનગરમાં પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે, વંદેભારત ટ્રેન સપ્તાહમાં છ દિવસ (મંગળવાર સિવાય) જામનગર અને સાબરમતી વચ્ચે દોડશે.

તા. ર૪ મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રિય રેલવે મંત્રીના હસ્તે વર્ચ્યુઅલ રીતે તેમજ સંસદસભ્ય પૂનમબેન માડમના હસ્તે લીલીઝંડી આપી પ્રથમ ટ્રેનને પ્રસ્થાન કરાવવામાં આવશે.

આ ટ્રેનને રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ સ્ટેશને સ્ટોપ આપવામાં આવ્યા છે. જામનગરથી આ ટ્રેન સવારે પ-૩૦ વાગ્યે ઉપડી સવારે ૧૦ વાગ્યે સાબરમતી સ્ટેશને પહોંચશે. જ્યારે સાબારમતીથી સાંજે ૬ વાગ્યે ઉપડી રાત્રે ૧૦-૩૦ વાગ્યે જામનગર પહોંચશે.

આ ફાસ્ટ અને અદ્યતન સુવિધા ધરાવતી નવી ટ્રેનની સુવિધા મળવાથી જામનગર, તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાના લોકોને અનુકૂળતા અને લાભ થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh